Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં બાળકોને કોરોનાની રસી મૂકવાની કામગીરીની શરૂઆત.

Share

આજથી સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જીલ્લામાં પણ 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ બાળકોએ રસી મૂકવવા અંગે ખૂબ ઉમંગ દાખવ્યો હતો. આ ઉમંગના પગલે જિલ્લાના દરેક રસીકરણ કેન્દ્રો પર વાલીઓ અને બાળકોની ભીડ જણાય હતી. બાળકોએ કોરોનાની રસી લીધા બાદ અન્ય બાળકોને પણ રસી લેવા અંગે અપીલ કરી હતી. ખાસ કરીને બાળકોએ જણાવ્યુ હતું કે ભરૂચ જીલ્લામાં ઓમિક્રોન અને કોરોના મહામારીનો રાફડો ફાટયો છે ત્યારે વાલીઓ દ્વારા તેમણે બહાર જવા દેવામાં આવતા નથી આવા સમયે કોરોનાની રસી આશીર્વાદરૂપ થયેલ તેમજ કોરોના સામે એક અસરકારક કવચરૂપ સાબિત થઈ રહ્યું છે. ભરૂચ જીલ્લામાં બાળકો ખૂબ ઉત્સાહ દાખવતાં રસીકરણની ટકાવારી ખૂબ ઊંચી આવે તેવી સંભાવના છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ પુરું પાડવા ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૯ શાળાઓમાં રસીકરણ સેશન ખાતે અંદાજીત ૩૦૧૦૪ બાળકોને કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં બાળકોને મૂકવામાં આવેલ કોરોનાની રસીની કોઈ આડઅસર જણાય નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2426 થઈ.

ProudOfGujarat

બોટાદના તુરખા રોડ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

ProudOfGujarat

ઝઘડિયા મેઇન બજારમાં રેતી-ડસ્ટ ભરેલી ટ્રક ભૂવામાં ફસાઇ : એક કેબીનને નુકશાન, વેપારીને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!