Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં મોત

Share

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં હાલ લીલી પરિક્રમાં ચાલી રહી છે જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે ત્યારે પ્રરિક્રમાં કરવા આવેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ચાલી રહેલી પરિક્રમામાં અનેક જગ્યાએથી ભાવિકો આવી પહોચ્યા છે અને 36 કિલોમીટર લાંબી આ પરિક્રમાં શરુ થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરિક્રમાંના રુટ પર આવતા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેમાં લીલી પરિક્રમા કરવા અમરેલીના રાજુલાથી પરિવાર સાથે આવેલી 11 વર્ષીય પાયલ સાખન નામની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું હતું. આ ઘટના પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બની હતી.

Advertisement

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દીપડાએ બાળકીને ઉઠાવીને 50 મીટર જંગલમાં ઢસેડી હતી. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને આ હુમલાને પગલે પોલીસ અને વનવિભાગ સતર્ક થયું છે તેમજ ઘટનાથી બાળકીના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અવાર નવાર દીપડા તેમજ સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે લીલી પ્રરિક્રમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


Share

Related posts

તાપી-નવાપુરા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 108 સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી નો કાર્યક્રમ સાથે સોનેરી સંકલ્પો

ProudOfGujarat

કારની ટક્કરે બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!