Proud of Gujarat
FeaturedGujaratINDIA

એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો.

Share

નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં એનીમીયા કન્ટ્રોલ માટે આઇસીડીએસ વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના બાળકો, સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ ઘટાડવા માટે જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના સીધા માર્ગદર્શન હેઠળ આઇઇસીની કામગીરી જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રોગ્રામ ઓફિસરની દેખરેખમાં માંડલ તાલુકાની ૯૭ આંગણવાડીઓમાં લોખંડની કઢાઇ, તવી અને તવીથાની કીટ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને હવે લોખંડના વાસણોમાં જ પોષણયુક્ત આહાર રાંધવામાં આવશે અને બાળકોને ભોજનમાં આપવામાં આવશે. માંડલ તાલુકાના બાળકોને કુપોષિતમાંથી પોષણયુક્ત બનાવવામાં આવશે.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

ઝાનોર NTPC ખાતે ફાયર સર્વિસ સપ્તાહનું ભવ્ય સમાપન, લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા હાંસોટના રોહીડ ગામ ખાતે ઓઈલ પાઇપ લાઇનમાં ભંગાણમાં આગની મોકડ્રીલ હાથ ધરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!