Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે ST બસો ભાડે ન આપવા રજૂઆત,સરકાર પાસેથી STને 22 કરોડ લેવાના છે

Share

 

અમદાવાદ: 31 મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં એસટી બસોની ફાળવણી કરવામાં આવે તો અનેક મુસાફરો રઝળી પડ તેમ છે. એસટીએે સરકાર પાસે હજુ 22 કરોડ લેણાં નીકળે છે ત્યારે હજારો બસો આવા કાર્યક્રમ માટે ન ફાળવવા રજૂઆત થઈ છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મુખ્યમંત્રી સહિત અન્યો સમક્ષ કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી કાર્યક્રમ માટે એસટી બસોને ભાડે લેવામાં આવે છે. હજારો બસો ભાડે લેવામાં આવતી હોવાથી અનેક રૂટો બંધ કરવામાં આવે છે અથવા તો ફ્રીક્વન્સી ઘટાડવામાં આવે છે. આખરે તો મુસાફરોને જ મુશ્કેલી પડે છે. રૂટ બંધ કરાતા સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોમાં ઊંચું ભાડું ચૂકવવું પડે છે. ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. આમ તેમના અધિકાર પર તરાપ વાગે છે. જાહેર ટ્રાન્સપોર્ટની સુવિધા સામાન્ય નાગરિકો માટે હોય છે. સરકારી કાર્યક્રમો માટે નહીં.સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા હાંસોટ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે શિવ શક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડતી એનસીબી પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!