Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંબાજી ભાદરવી પુનમ મહામેળામાં ભાવી ભક્તો માટે આરતી અને દર્શનનો રહેશે આ સમય

Share

અંબાજી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) આરતી તથા દર્શનનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભાદરવા સુદ-૦૮ (આઠમ) તા.૨૩/૦૯/૨૦૨૩ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૨૯ -૦૯ -૨૦૨૩ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ અંબાજી ખાતે યોજાનાર હોઇ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તો અને જાહેર જનતાને નોંધ લેવી.

– ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય
– આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે
– દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે
– રાજભોગ- ૧૨.૦૦ કલાકે
– દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે
– આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
– દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી
– તા.૩૦/૦૯/૨૦૨૩ થી આરતી/ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

Advertisement

ભાદરવી પૂનમ મેળો 2023 : 23થી 29 સપ્ટેમ્બરે થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળા અંગે તડામાર તૈયારીઓ કરાઈ છે. આ વર્ષે અંદાજે 40 લાખથી પણ વધારે યાત્રાળુઓ આવવાની શક્યતા

• પગપાળા યાત્રાળુઓ માટે અંદાજીત 9000 ચો.મી. વિસ્તારમાં તમામ સગવડો સાથે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે
• યાત્રાળુઓ માટે પાણી, શૌચાલય, સ્વચ્છતા તથા આશ્રય સ્થાનોની સુવિધામાં પણ કરાયો વધારો
• માત્ર એક ક્યૂઆર કોડ સ્કૅન કરવાથી તમામ પ્રકારની માહિતી લોકેશન સાથે મેળવી શકાશે


Share

Related posts

ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર તથા નેત્રંગ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકરો દ્વારા યુપીના અલીગઢમાં બાળકીની કરપીણ હત્યા અને ઝઘડિયા તાલુકાના દુષ્કર્મ મુદ્દે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!