Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકરો દ્વારા યુપીના અલીગઢમાં બાળકીની કરપીણ હત્યા અને ઝઘડિયા તાલુકાના દુષ્કર્મ મુદ્દે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ અંકલેશ્વર મામલતદાર કચરી ખાતે અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકર રજનીસિંગ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવયું હતું જેમાં જણાવ્યા અનુસાર યુપીના અલીગઢમાં નાણાની લેતી દેતીમાં બે વર્ષની ટ્વિન્કલ શર્મા નામની બાળકીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જે બાળકીની હત્યા કરનાર હત્યારાઓ સામે કડકમાં કડક સજા અને ઝઘડિયા તાલુકાના એક ગામના સગીર બાળકી પર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે થોડા દિવસ પહેલા દહેજના એક ગામમાં પણ દુષ્કર્મની ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હત્યા અને દુષ્કર્મની ઘટનાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.તંત્ર આરોપીઓની અટકાયત કરી તેઓની સામે કડકમાં કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી, નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીમાંથી નાંદોદ તાલુકાનાં 11 છે.

ProudOfGujarat

સમગ્ર શિક્ષા, સુરત અને સુરત કોર્પોરેશન આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાશ ભણી’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!