Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ લખાની માર્કેટના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વિનોદભાઈ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં રવિવારના રોજ બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે ગોડાઉનમાંથી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા આગને કારણે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી વધુ ફાયર ફાયટરો સ્થળે પહોંચ્યા હતા અને મહામહેનતે આગ બીઝાવવાનો પ્રયાસ કરી હતો આ લખાય છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવ્યો નથી ત્યારે આગની ઘટનાને કારણે કોઇપણ જાતની જાનહાની નહી થતા સો કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી આગની ઘટનાને પગલે અન્ય ગોડાઉનોના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement


Share

Related posts

પેપર લીક કૌભાંડ પ્રકરણમાં રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

ભરૂચમાં કિશાન કાયદા વિરુદ્ધમાં યુથ કોંગ્રેસે મશાલ રેલી : કોંગ્રેસીઓની અટકાયત કરતી પોલીસ

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રોનો આજથી વધુ એક રૂટ શરુ, એપીએમસીથી મોટેરા વચ્ચે શરુ થઈ ટ્રેન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!