Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના મકાન નંબર-બી-૧૫મા રહેતા મનોજભાઈ શિવનારાયણ જાંગીડના માતા-પિતા રાજસ્થાનના જયપુર ખાતે પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મનોજભાઈ શિવનારાયણ જાંગીડ તાત્કાલિક સુરતથી દોડી આવી ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોનાના દાગીના મળી કુલ ૮૭ હજારથી વધુના મુદ્દામાલ અંગેની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

પોલીસ તંત્રના એ.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા જાણો ક્યાં ?

ProudOfGujarat

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં ચારનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!