Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર:પાણી ચોરીના કેસમાં BJPના નેતાની ધરપકડ,જામીન પર છુટકારો….

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર કેનાલમાંથી પાણી ચોરી તળાવ ભરવા મામલે BJPના નેતાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ધરપકડ બાદ તરત તેમને જામીન પર છૂટકારો મળી ગયો હતો.

Advertisement

ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના તળાવમાં કેનાલમાંથી લાખો લીટર પાણી લેવામાં આવ્યું હતુ. જેના કારણે ભાજપના પરેશ પટેલ પર આચારસંહિતાની કલમ ૪૮૦ હેઠળ નહેરમાંથી પાણી ચોરીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ધરપકડના થોડાક જ સમયમાં તેમના જામીન થઇ ગયા હતા અને તેમને છોડી દેવાયા હતા.

પરેશ પટેલે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, મેં પાણી મેળવા માટે કાયદેસર સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતા અમે પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.

પાણી ચોરીની માહિતી મળતા સિંચાઇ વિભાગના અધિકારીઓ તાબડતોડ રીતે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તે જગ્યાએ અધિકારીઓને કંશું મળ્યું નહોતું. પરંતુ પાણી ચોરીના આરોપને લઇને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસે ભાજપના નેતા પર લાગેલા પાણી ચોરીના આરોપસર કલમ ૪૮૦ હેઠળ પાણી નહેરમાંથી ચોરવાનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરી હતી, પરંતુ થોડાક જ સમયમાં તેઓને જામીન મળી ગયા હતા.


Share

Related posts

અંકલેશ્વરના આંબોલી ગામના એક ખેતરમાં ઝાડ પર લટકેલી એક બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીનાં વીસી એ જાહેર કર્યો મોબાઈલ અને મીડિયા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!