Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં ઉધ્યોગોમાં હજુ દિવાળીનો માહૌલ…

Share

માદરે વતન ગયેલાં ઉધ્યોગપતિઓ અને કામદારોનાં લીધે ઉધ્યોગો સુમસામ…

૨૪ કલાક અને ૩૬૫ દિવસ ધમધમતી અંકલેશ્વર ઔધ્યોગિક વસાહતમાં પાંચમ પછી પણ હજુ વેકેશનનો જ મહૌલ જોવા મળી રહ્યો છે.

Advertisement

અંકલેશ્વર ઔધ્યોગિક વસાહતમાં ૧૨૦૦ થી વધુ એકમો પૈકી મોટાભાગનાં ઉધ્યોગપતિઓ ઉત્તરગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં છે. દિવાળી પૂર્વ જ તેઓ પરિવાનજનો સાથે આ મહાપર્વની ઉજવણી કરવા માટે માદરેવતન રવાના થઈ જાય છે. આખું વર્ષ ઉધ્યોગો ધમધમાટ વચ્ચે વીતાવતાં ઉધ્યોગ સંચાલકો દિવાળી વખતે અચુક વતન ભણી જ દોટ મૂકે છે. તો બીજી તરફ વસાહતમાં કામ કરતાં હજારો કામદારો પૈકી પણ મોટાભાગનાં કામદારો અન્ય રાજ્ય કે શહેર-ગ્રામ્ય વિસ્તારનાં હોવાથી તેઓ પણ રવાના થાય છે વળી ઉત્તરભારતીય સમાજનાં કામદારો માટે છઠ પૂજાનું અનન્ય મહત્વ હોવાથી તેઓ પણ દિવાળી વખતે ઉત્તરપ્રદેશ- બિહાર સ્થિત પોતપોતાનાં વતનમાં જવા માટે નીકળી જાય છે. આ પરિસ્થિતિને લઈને ઉધ્યોગો હાલ સુનસાન બની ગયાં છે. લાભપાંચમ બાદ છઠનાં દિવસે પણ ઉધ્યોગો શરૂ થયાં ન હતાં વળી શાળાઓમાં હજુ વેકેશન ચાલી રહ્યું હોવાથી પણ બહાર ફરવા ગયેલાં ઉધ્યોગપતિઓ કે મધ્યમવર્ગીય પરિવારો હજુ પરત આવ્યાં નથી. યંત્રો-મશીનોથી સદાયે ધમધમતી અંકલેશ્વર વસાહતનાં ઉધ્યોગોમાં હજુ આ સપ્તાહ પૂરતો રજા-મજાનો માહૌલ રહેશે એમ હાલ લાગી રહ્યું છે !!!


Share

Related posts

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આવેલ ૪ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૨ બેઠક થયેલ મતદાનની ટકાવારી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!