Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરાયું

Share

ગતરોજ દશેરાના પાવન પર્વ નિમિતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વિવિધ દાતાઓની મદદથી નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . જેમાં પોલીસ અધિકારીઓના અનુરોધ થી અને પાનોલી વિસ્તારના વિવિધ ઓધોગિક એકમો , વિવિધ વેપારીઓ, વિવિધ બિલ્ડરોના અનુદાનથી આ કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું દશેરાના શુભ દિવસે લોકાર્પણ પુલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

Advertisement

વિવિધ દાતાઓ તરફથી લગભાગ ૧૨ થી ૧૩ લાખ રુપ્યના ખર્ચે નાગરિક સુવિધા કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું . આવનારા સમયમાં પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિકોને ઘણી સુવિધા મળી રહે તે હેતુસર કક્ષનું આયોજન કરવામાં આવ્યું છે . લોકોનાં માનસમાં જે પોલીસ સ્ટેશનની છાબી છે તેને બદલવા માટે પ્રફુલિત વાતાવરણ મળી રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે . જેમાં પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે રીબીન કાપી અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા . અને લોકોની સુવિધા માટે પોલીસ સ્ટેશનની બહાર બાગ પણ બનાવામાં આવ્યો છે જેથી લોકો માત્ર ડરીને જ નહી પરંતુ શાંતિનો પણ અનુભવ કરી શકે .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સીએમ ભૂપેન્દ્ર પટેલે 12 મહિલા ધારાસભ્યોને આપી વિશેષ ભેટ, સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાઈ

ProudOfGujarat

નડિયાદ સ્ટેશન પર નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વલસાડના વાઘલધરા ગામ નજીક લગ્ન કરીને પરત આવતા કારને અકસ્માત :દુલહન સહીત ચારના મોત :બે લોકોને ઇજા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્મામાં કારના બોનેટનો કડુલસો :આનંદનો માતમમાં ફેરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!