Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર થી વાલિયા ધોરીમાર્ગ પર ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત … ૨ ઇસમોના મોત અને ૭ વ્યક્તિઓને ઇજા …..

Share

ભરૂચ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નોકરિયાતો એ અંકલેશ્વર અવર જ્વર કરવા ઇકો કાર ભાડે કરી હતી આવી ઇકો કારને ટ્રેકટર સાથે અકસ્માત થતા ૨ ઇસમોના સ્થળ પર મોત નિપજ્યા હતા જયારે ૭ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી
આબનાવની વિગતો જોતા વાલિયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ૭ વાગ્યાના અરસામાં આબનાવ અંકલેશ્વર થી વાલિયા ના ધોરીમાર્ગ પર નલધારી પાસે બંધ કમ્પની પાસે બન્યો હતો જેમાં વાલિયાથી અંકલેશ્વર આવતી ઇકો કાર ટ્રક ને ઓવરટેક કરવા જતા સામે થી આવતા ટ્રેકટર સાથે કાર ભટકાઈ હતી જેથી કારમાં સવાર ૧ નિલેશ રવિચદ વસાવા (ઉ .વ ૨૨) ૨ નિલેશ ઉર્ફે કિલિયો નરસિંહ વસાવા (ઉ વ ૨૪) બને રહે ભંગોરીયા તા નેત્રંગ નું સ્થળ પર મોત નીપજ્યું હતું જયારે કારમાં સવાર ૭ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે આ બનાવની તપાસ વાલિયા પોલીસ ના પી એસ આઈ ગામીત તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વયોવૃદ્ધ નાગરિકો અને કોરોના યોદ્ધાઓનું કરાયુ સન્માન.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ.

ProudOfGujarat

ભરૂચ જંબુસર માર્ગ પરથી ચોર ખાનું બનાવી વિદેશી દારૂ વહન કરી લઇ જતી ટ્રક ઝડપાઇ, ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!