Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સોનાનાં કારીગર નું ભેજાબાજ 82 હજાર ઉપરાંતનું સોનુ સેરવી ગયો …

Share

અંકલેશ્વર શહેરનાં જોષીયા ફળીયા ના સોનાનાં દાગીનાં બનાવતા કારીગરની નજર ચૂકવીને એક ભેજાબાજ 82,770 રૂપિયા સોના ની ઉઠાંતરી કરી ને ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર જોષીયા ફળીયામાં રહેતા મુળ મહારાષ્ટ્ર નાં વિનોદભાઈ ભરતભાઈ શિંદેને તારીખ 29નાં રોજ બપોરે અંકલેશ્વર ના કબીર આશ્રમ પાસે પંચાતી બજાર ખાતે રહેતા મુન્નાભાઈ બંગાલી તેમની ઓફિસ પર આવ્યા હતા, જ્યાં રફ સોનાની રની જેમાં શુદ્ધ સોનાનું વજન 26,700 ગ્રામ કિંમત રૂપિયા 82,770 બદલાવ માટે આવ્યા હતા અને તેની અવેજમાં શુદ્ધ સોનુ તેટલા જ વજનનું વિનોદભાઈ શીંદે મુન્નાભાઈને આપતા તેમની નજર ચૂકવી મુન્નાભાઈ પોતાની સાથે લાવેલ સોનાની રની પણ નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Advertisement

બનાવ સંદર્ભે વિનોદભાઈ શિંદે દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુન્ના બંગાલી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હતી. અને મુન્ના બંગાળીની ધરપકડ કરીને પોલીસે ચોરેલું સોનુ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનાં ગુનાનાં એક ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ ટ્રાફિક સ્કવોર્ડમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ એવા પોલીસ કર્મચારીનું કોરોનાનાં કારણે થયેલ નિધન : પોલીસે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું.

ProudOfGujarat
error: Content is protected !!