Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

Share

બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વતન જતા વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી વાલિયા ચોકડી વચ્ચે લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિક જામ નું મુખ્ય કારણ છે. આ બ્રિજને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ  સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા

ProudOfGujarat

ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!