Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રકની ગ્રામજનો શંકા થતાં જ કચરો ઠાલવે તે પૂર્વે જ ઝડપી પાડી

Share

અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કેટલાંક ઉદ્યોગો અવાવરૂ જગ્યાનો લાઈ લઈ કેમિકલ ઠાલવી રહ્યા છે. માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલ ટ્રક ને ગ્રામજનો એ ઝડપી પાડી તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થળ ઉપર જીપીસીબી ની ટીમ આવી પહોંચી સોલિડ વેસ્ટના સેમ્પલ લઇ વધુ કેમિકલ વેસ્ટ સાનો છે તે અંગે તપાસ આરંભી હતી.

Advertisement

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ઉદ્યોગોના દૂષિત પાણી પ્રોસેસ કરી દરિયામાં ઠાલવતી નર્મદા ક્લિનટેક કંપની પણ હવે પ્રદૂષણ મામલે જીપીસીબીના આખ નીચે હોવાથી તેઓના માથે સંકટ ઊભું થયું છે. ત્યારે કંપનીઓ હવે તેમનું કેમિકલ વેસ્ટ ઠાલવવા માટે તાલુકાના ગામોની અવાવરું જગ્યા શોધી રહ્યા છે. અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં માટીએડ અને કોયલી ગામની વચ્ચે એકદમ અંતરિયાળ વિસ્તારમાં કાચા માર્ગ પર અવાવરું જગ્યામાં ટ્રકમાં કંપનીનો કેમિકલ યુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણી અને ડ્રમ ભરીને નિકાલ કરવા પેરવી કરતા ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી હતી .

ગ્રામજનોએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી ટ્રકમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ડ્રમ મળી આવ્યા હતા.જેમાં સોલિડ વેસ્ટ અને પ્રદુષિત પાણી ભરેલ માલુમ પડતા આ અંગે જીપીસીબીએને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સાથે એફએસએલની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલ લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ProudOfGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

ProudOfGujarat

ભરૂચમાં ગરબા રમવાના મામલે પરિવાર પર 11 જણાનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!