Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

Share

સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક પાટનગર ગણાતા બોડેલી નગરનાં વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા એક મહત્વનો નિર્ણય લીધો છે.બોડેલીનાં વેપારીઓ સ્વેચ્છાએ પોતાની દુકાનો સાંજે 4 વાગ્યે બંધ કરી દેશે. બોડેલી નગરમાં આસપાસના ગામોનાં લોકોની અવરજવર વધુ રહે છે. વેપારીઓનું માનવું છે કે જો 4 વાગ્યે બજાર બંધ રહેશે તો લોકોની અવરજવર ઉપર અંકુશ આવશે જે કોરોના સંક્રમણને ફેલાવતા અટકાવવામાં મદદરૂપ થશે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કુલ 74 કેસ નોંધાયા છે જેમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેમજ 52 દર્દીઓને સારવાર આપી ડિસ્ચાર્જ પણ કરાયા છે. 74 પૈકી બોડેલી બ્લોકમાં 29 લોકો સંક્રમિત થયા છે. વધી રહેલા કેસો સંદર્ભે વેપારી મંડળનાં 4 વાગ્યે દુકાનો બંધ કરી દેવાના નિર્ણયને નગરના વેપારીઓએ ટેકો આપ્યો છે. તો નગરજનો પણ નિર્ણયને બિરદાવી રહ્યા છે.

તોફીક છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

મારી પુત્રીના ચારીત્ર્ય પર ખોટી શંકાએ તેની અને મારી પત્નીની હત્યા કરી પિતાની ફરિયાદ : સાસરિયા પુત્રીને છુટાછેડા આપવા કહેતાં હતાં જેને ઈન્કાર કરતાં તેમણે હિંસક કૃત્યને અંજામ આપ્યો : ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મૃતક પરીણિતાના પિતાએ વેવાઈ સામે ગુનો નોંધાવ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજના જૂના એકડા પાટીદાર સમાજના પ્રમુખની ચૂંટણીમાં પ્રફુલ મોતિભાઈ પટેલ ચૂંટાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!