Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિન નિમિત્તે આદિવાસી સમાજ વિકાસ મંડળ તેમજ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ અને જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Share

અંકલેશ્વર અને આજુબાજુના ગામડાઓમાં જનજાગૃતિ ફેલાવનાર, ગરીબ બાળકોના શિક્ષણ માટે લડનાર નવ લોહીયો યુવાન અનિલ વસાવાનો આજે જન્મ દિવસ.. સમસ્ત આદિવાસી સમાજ માટે અનિલભાઈનું યોગદાન કાંઈ ઓછું નથી. અનિલભાઈના બલિદાન માટે શબ્દો ખુટી પડે.. આદિવાસી સમાજને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરવાની ખેવના રાખતો આ નવયુવાન યોદ્ધો આજે આપણી વચ્ચે નથી.. ખેર, પ્રકૃતિને જે ગમ્યું તે ખરું.. યુવાનો માટે અનિલભાઈ આજેય રોલ મોડલ(આધુનિક બિરસા) છે.. આજે સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજ વિકાસ મંડળ અને સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નવા હરીપુરા અને આસપાસની સ્કૂલોના જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ નું વિતરણ કરી સ્વ અનિલભાઈ વસાવાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ફૈઝલ પટેલની નવી પાર્ટીની પોસ્ટથી કોંગ્રેસમાં ખળભળાટ; બહેન મુમતાઝ પટેલે કરી દુરાવેલી લકીર સ્પષ્ટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

ProudOfGujarat

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 રાષ્ટ્રીય આપત્તિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટન એકટ-2005 અમલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!