Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિન નિમિત્તે આદિવાસી સમાજ વિકાસ મંડળ તેમજ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ અને જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Share

અંકલેશ્વર અને આજુબાજુના ગામડાઓમાં જનજાગૃતિ ફેલાવનાર, ગરીબ બાળકોના શિક્ષણ માટે લડનાર નવ લોહીયો યુવાન અનિલ વસાવાનો આજે જન્મ દિવસ.. સમસ્ત આદિવાસી સમાજ માટે અનિલભાઈનું યોગદાન કાંઈ ઓછું નથી. અનિલભાઈના બલિદાન માટે શબ્દો ખુટી પડે.. આદિવાસી સમાજને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરવાની ખેવના રાખતો આ નવયુવાન યોદ્ધો આજે આપણી વચ્ચે નથી.. ખેર, પ્રકૃતિને જે ગમ્યું તે ખરું.. યુવાનો માટે અનિલભાઈ આજેય રોલ મોડલ(આધુનિક બિરસા) છે.. આજે સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજ વિકાસ મંડળ અને સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નવા હરીપુરા અને આસપાસની સ્કૂલોના જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ નું વિતરણ કરી સ્વ અનિલભાઈ વસાવાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલી યોજાઇ.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શ્રમદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!