Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં આપઘાતના રહસ્યમય કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની દહેશત મચાવનારી બીમારી બાદ લોકો પાસે ખાવા પેટે અને ઘર ચલાવા માટે પણ પૂરતુ મહેનતાણું ન મળતા લોકો આપઘાત કરી રહ્યા છે.

તે જ રીતે ગત બપોરે એક આપઘાતનો કિસ્સો અંકલેશ્વર રેલેવે સ્ટેશનની ઉત્તરે બન્યો હતો. અંકલેશ્વરમાં ગત બપોરના અઢી વાગ્યાની આસપાસ મુતુજા મોહમ્મદ અલી વોરા ઘરના મુખ્ય કે જેઓની ઉંમર લગભગ 51 વર્ષ હોય રહે. ઝમઝમ એન.આર.આઈ. સોસાયટી અંકલેશ્વર ભરૂચ નાઓએ કોઈ અગમ્ય કારણોસર માલ ગાડી આવતી જોઈ તેની સામે ઊભા રહી અને જીવન ટૂંકાવ્યું હતું.

Advertisement

પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર રેલેવે પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. જીવન ટૂંકવાનું મુખ્ય કારણ અર્થે હાલ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃત પામેલ બોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી પ્રારંભ કરાયો

ProudOfGujarat

ભરૂચ ખોડલધામ યુવા સમિતિ દ્વારા લાપસી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

ભરુચ ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બહાર ઉડયા જાહેરનામાના ધજાગરા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!