Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા.48 પર દર્શન હોટલ પાસે ટ્રકએ પલટી મારી.

Share

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે તેવો જ એક કિસ્સો આજરોજ બન્યો હતો. સુરતથી ભરૂચ તરફ જતાં અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર આવેલ ખરોડ દર્શન હોટલ પાસે ટ્રક પલટી મારી ગઈ હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ ખરોડ પાસે આવેલ દર્શન હોટલ પાસે એક ટ્રક કોઈ અગમ્ય કારણોસર પલટી મારી ગઇ હતી જેમાં ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતાં બાજુમાં આવેલ ખાડામા ટ્રક પલટી મારી ગઈ હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે. જેમાં અકસ્માત બાદ ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે વિસ્તારમાં ભયનો મહાલો સર્જાયો હતો જે બાદ કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન સર્જાઈ હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં મોટર સાયકલ ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ જાણો ક્યા અને કેવી રીતે ???

ProudOfGujarat

ઝઘડિયાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!