Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

Share

પોલીસ મહાનિરિક્ષક એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓની સુચના અનુસંધાને નાર્કોટિક્સની બદી દૂર કરવા માટે નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.એસ.ગઢવી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગડખોલ પાટીયા પાસે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમિયાન એક ઈસમ પ્લેઝર મોપેડ નંબર: GJ-16-CR-9816 ની લઈ આવતાં જેને ઈશારો કરી રોકી રોડની બાજુમાં ઉભો રાખી તેનું નામ સરનામું પુછતાં તેણે પોતાનુ નામ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવ, મુ.રહે. સીગામ, તા. જંબુસર, હાલ રહે. અંકલેશ્વર, ફતેનગરનો હોવાનું જણાવેલ જેનાં કબજાના પ્લેઝર મોપેડમાં તપાસ કરતાં સીટની નીચે ડેકીમાંથી એક પ્લાસ્ટીકની થેલીમાં વનસ્પતિજન્ય પદાર્થ વજન ૦.૪૯૨ ગ્રામ ની કિં. રૂ. ૪,૯૨૦/- ગણી તથા હીરો કંપનીનુ મોપેડ પ્લેઝર નંબર GJ 16 CR 9816 ની કિં. રૂ. ૧૫,૦૦૦/- ગણી ગેર કાયદેસરનો મળી આવતા અંકલેશ્વર શહેર પો.સ્ટે. FIR No.પાર્ટ-એ ૧૧૧૯૯૦૦૪૨૧૨૭૪૫/૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ કલમ ૮(સી), ૨૦(બી) (II) A મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ProudOfGujarat

ગોધરા : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!