Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સંવિધાન દિવસ નિમિત્તે લાઇટિંગથી શણગારવામાં આવી.

Share

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947 માં આઝાદી મળ્યા બાદ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં 1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને તૈયાર કરવા માટે તે સમયે 6.24 કરોડનો ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી 1949 ના 26 મી નવેમ્બરના રોજ કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણવામાં આવે છે. ત્યારે ગતકાલે સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાઇટિંગથી શણગારવામાં આવી હતી. વિવિધ લાઇટિંગથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શણગારવામાં આવતા તે લોકો માટે આકર્ષિત કેન્દ્ર બન્યું છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રેપિડો અને નારાયણ હોસ્પિટલની અનોખી પહેલ : કેપ્ટનો અને પરિવારજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ProudOfGujarat

પંચમહાલ મોરવા હડફના ગ્રામ્યવિસ્તારોમાં હવે કોરાના વાયરસના પગલે બહારગામના વ્યક્તિને NO ENTRY પ્રવેશરોડ પર ઝાડી ઝાખરાની આડાશ મૂકાઇ

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!