Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, અંકલેશ્વરના અંદાડા ગામ વિસ્તારમાં નેશનલ હાઇવેને અડીને આવેલ ઇન્દ્રપસ્ટ સોસાયટીના ૭ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો છે.

ગત રાત્રીના સમયે સોસાયટીના લોકો મીઠી નિંદ્રામાં હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશી એકસાથે સાત જેટલા મકાનોના નકુચા તોડી અંદર પ્રેવશી રોકડ રકમ સહિતની વસ્તુઓ ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા મામલે ભારે ખળભળાટ મચ્યો છે.

એકસાથે સોસાયટીના સાત મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ છવાયો હતો તો બીજી તરફ મામલા અંગેની જાણ પોલીસ વિભાગમાં કરતા પોલીસે સોસાયટી ખાતે દોડી જઈ સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ : ગુમાનદેવ મંદિરનાં મહંત પર કરાયેલ હુમલામાં અત્યારસુધી કુલ ૧૪ ની ધરપકડ.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા નેશનલ લોક અદાલત યોજાઇ.

ProudOfGujarat

વલસાડ – પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!