Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, અંકલેશ્વરના અંદાડા ગામ વિસ્તારમાં નેશનલ હાઇવેને અડીને આવેલ ઇન્દ્રપસ્ટ સોસાયટીના ૭ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો છે.

ગત રાત્રીના સમયે સોસાયટીના લોકો મીઠી નિંદ્રામાં હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશી એકસાથે સાત જેટલા મકાનોના નકુચા તોડી અંદર પ્રેવશી રોકડ રકમ સહિતની વસ્તુઓ ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા મામલે ભારે ખળભળાટ મચ્યો છે.

એકસાથે સોસાયટીના સાત મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ છવાયો હતો તો બીજી તરફ મામલા અંગેની જાણ પોલીસ વિભાગમાં કરતા પોલીસે સોસાયટી ખાતે દોડી જઈ સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં હસ્તે ૧૯૬૨ એનિમલ ઈમરજન્સી સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. 

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

અંકલેશ્વરઃ માંડવા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા 6 ખેલીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!