Proud of Gujarat
FeaturedGujaratINDIA

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

Share

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નો મુખ્ય હેતુ સંગઠન મજબૂત કરવા તેમ જ સમાજને જાગૃત કરવાનો હતો. આ રેલી અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ખાતેથી શરૂ થઈ હતી સૌપ્રથમ સમાજની ઈષ્ટ માતાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદસ્વ અનિલભાઈ વસાવા ને શ્રદ્ધાંજલિ આપી ફુલહાર કરી રેલી અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા આ રેલીમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આગેવાન વિનય વસાવા,મુકેશ વસાવા અવિનાશ વસાવા વિનોદ વસાવા તેમજ આદિવાસી સમાજના હજારો લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીની પૂર્ણાહુતિ ભરૂચનાકે કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં સફાઈકર્મીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઊતર્યા.

ProudOfGujarat

ગોધરાના જાણીતા “નેહરૂબાગ”નું નામ” અટલ ઉધાન “કરવાના નિર્ણયને લઈને જાગૃત નાગરિકોમાં કચવાટ ?

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ઇન્સ્ટાસ્પેક્ટએ 1 મિલિયનથી વધુ ગ્રાહકોને તેમના વાહનની નુક્શાનીના દાવાની ત્વરિત મંજૂરી મેળવવા માટે સક્ષમ બનાવ્યું છે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!