Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના વાલિયાના ચમારીયા ગામમાંથી વૃક્ષ પર લટકતા યુવાનની લાશ મળી..

Share

ભરૂચ પંથકના અંકલેશ્વર ગામમાં આજરોજ વહેલી સવારે એક વૃક્ષ પર મૃતદેહ લટકેલ અવસ્થામાં મળી આવ્યો હતો. જે અંગે જાણ થતા મૃતદેહ પોલિસ દ્વારા પી. એમ અર્થે ખાસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વાલિયાના ચમારીયા ગામની સીમમાં આજે વહેલી સવારે ખેતરની વચ્ચે જ વૃક્ષ પર એક મૃતદેહ લટકેલ અવસ્થામાં મળી આવ્યો હતો. બનાવ અંગે માહીતી અનુસાર આ મૃત દેહના શરીર પર તિક્ષણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોય અને તેણે લટકાવી દેવામાં આવ્યો હોય તેવું તારણ આસપાસના લોકો દ્વારા કાઢવામાં આવ્યું હતું. આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તેની તપાસ હાથ ધરવા વાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચપ્પુના ઘા કોણે અને શા કારણે માર્યા એ તારણ હજુ બહાર આવ્યું નથી. જે અંગે વાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અદાણી ફાઉન્ડેશન અને EDI સંસ્થા દ્વારા ઉમરપાડાના કોટવાળિયા સમુદાય માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડાકોરમાં બ્રિજની કામગીરી સમયે મજૂર નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી.

ProudOfGujarat

ગુજરાત સ્થાપના દિવસના મહિનામા અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!