Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશન અને EDI સંસ્થા દ્વારા ઉમરપાડાના કોટવાળિયા સમુદાય માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો.

Share

અદાણી ફાઉન્ડેશન હજીરા EDL સંસ્થા સુરત અને RSETI સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી વિસ્તારના કોટવાળીયા સમુદાયના વાંસકામના કારીગરો માટે ત્રણ દિવસથીયા ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન ઉમરકોટ ગામ ખાતે કરાયુ હતું. આ તાલીમમાં ઉમરપાડા તાલુકાના ઉમરગોટ, કેવડી, પાંચ આંબા, ઘણાવડ ગામના 35 જેટલા ભાઈ બહેનએ તાલીમનો લાભ લીધો હતો.

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા તાલુકા વિસ્તારમાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરતું રહે છે એ જ શ્રેણીમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમનું આયોજન થયું હતું. આ તાલીમમાં EDI સંસ્થા સુરતના રિકિલભાઇ મોદી, ડીપીઓ મહેશભાઈ ચૌધરી અને RSETI ના જિલ્લા અધિકારી અર્ચનાબેન જોશીએ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષય ઉપર તાલીમ આપી હતી. આ તાલીમમાં વાંસકામ કરતાં ભાઈ બહેનોને ઉદ્યોગ સાહસિકતા શું છે ? તેના ફાયદા અને સફળ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકાય બજાર જોડાણ કઈ રીતે થાય અને નાણાકીય સક્ષરતા વિશે માહિતી આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસકામ કરતાં કોટવાળીયા સમુદાયના કારીગરો માટે વિશેષ કાર્યક્રમ કરતું રહે છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

ProudOfGujarat

જુનાગઢમાં વાણંદ સોસાયટીમાંથી બે કિલો ગાંજો ઝડપાયો

ProudOfGujarat

ઝઘડિયાના રતનપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!