Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કડકિયા એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા એમસીએ કોર્સ શરૂ કરાયો

Share

અંકલેશ્વર ખાતે વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મણીલાલ હરિલાલ કડકીયા કોલેજ અને એજ્યુકેશન કેમ્પસે 2023-24 થી એમસીએ કોર્સની શરૂઆત કરી છે.

અમદાવાદની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને નવી દિલ્હીની AICTE દ્વારા આ કોર્સ માન્યતા આપવામાં આવી છે. આ કોર્સની શરૂઆતથી અંકલેશ્વર ઉપરાંત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ તજજ્ઞ શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Advertisement

આ અંગે કડકીયા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્યામ કડકિયાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ક્યાંય પણ માત્ર કોમ્પ્યુટર એપ્લિકેશનની કોલેજ હતી નહીં. વર્ષોથી લોકોની માંગ હતી એટલે આ માન્યતા પ્રાપ્ત કરીને અમે આ કોર્સની શરૂઆત કરી છે જેથી જિલ્લાના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને સૌથી વધુ સવલત મળશે.

કોલેજના અને એમસીએ વર્ગના પ્રિન્સિપાલ ડોક્ટર પુરવ તલાવિયા એ જણાવ્યું હતું કે સારામાં સારું શિક્ષણ આપવું એ અમારું ધ્યેય છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં આ કોર્સની શરૂઆત થઈ એ દરેક માટે એક સૌથી સારો અને અનુભવ મળશે. આ જ ડિગ્રી લઈને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી લઈ દરેક જગ્યાએ એમને નોકરીની સવલતો ઊભી થશે એ જ અમારું ધ્યેય છે.


Share

Related posts

વડોદરામાં અર્થોપાર્જન માટે આવેલા શ્રમયોગીઓ મતદાન કરવા વતન જશે.

ProudOfGujarat

ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

ProudOfGujarat

દહેજ સેઝના ભંગાર થી માંડી લાંચ સુધીના પ્રકરણની વિગતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!