Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આમલાખાડી પર રેલવે કોરિડોર દ્વારા પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો દૂર કરવા પ્રજાની માંગ

Share

આમલાખાડી પર રેલવે કોરિડોર દ્વારા પાઇપો નાખી બનાવવા માં આવેલ હંગામી રસ્તો આમલાખાડી નાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. ચાલી રહેલ વર્ષા ઋતુ માં જો ધોધમાર વરસાદ વરસાદ આવશે તો પીરામન ગામ અને અંક્લેશ્વર શહેરની પ્રજા ને હાલાકી નો સામનો કરવો પડશે.

પિરામન નાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે “આમલાખાડી ઓવર ફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. આ સીઝન માં ગત ઓછા વરસાદ માં પણ પિરામન ગામ નો રસ્તો બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવર જવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવા થી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વર ને જૂન મહિના માં જાણકારી આપી હતી સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવાની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી.અમો ફરી એકવાર મોટી આફત આવે તે પેહલા દૂર કરાવવાની વિનંતી કરીએ છીએ.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબનાં વેકસીન સેન્ટરમાં કોવિડ-19 નાં નિયમોનો સરેઆમ ભંગ…

ProudOfGujarat

રાજકોટમાં હીરાસર એરપોર્ટ ખાતે પોલીસ અને મીડિયા કર્મી વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!