Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાની પ્રવાસ બસને ચીખલી નજીક નડ્યો અકસ્માત, 20 વિદ્યાર્થીઓને ઇજા

Share

અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત માં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નજરે જોનાર એક રાહદારી ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું. કે એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ લઠ્ઠાકાંડ નહીં થાય તે માટે નકલી બનાવટી દારૂનું વેચાણ બંધ કરાવવા માંગ.

ProudOfGujarat

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!