Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પુણા ગામનાં આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાથી બેનાં મોત.

Share

સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી.

જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. આ રામદેવ ડેપોમાં સાડી રોલ પોલીસનું કામ ચાલતું હતું ત્યારે રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે 3:52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નીપજ્યાં છે. બંને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.

પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર : SMA-1 બીમારીથી પીડાતા પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખાણ આપી છેતરપીંડી આચારનારી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!