Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાની પ્રવાસ બસને ચીખલી નજીક નડ્યો અકસ્માત, 20 વિદ્યાર્થીઓને ઇજા

Share

અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત માં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નજરે જોનાર એક રાહદારી ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું. કે એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

લખનઉની રેલવે કોલોનીમાં મોટી દુર્ઘટના, ઘરની છત ધરાશાયી થતાં 3 બાળકો સહિત 5 નાં મોત

ProudOfGujarat

ભરુચ પંથકમાં થઈ રહેલ ઊભા પાકના નુકશાન સામે ગાંધીનગર જીપીસીબી સેન્ટ્રલની લેબોરેટરી ટીમ સાથે જિલ્લા કલેક્ટર સ્થળ મુલાકાતે : 10 સેમ્પલર મશીન મુકાયા

ProudOfGujarat

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!