અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને છેતરીપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના અંબિકા નગરમાં રહેતા જશુબેન હરગોવિંદભાઇ રાણાને ત્યાં બે ઇસમો આવ્યા હતા જેઓએ સોનું અજવાળી આપવાનું જણાવ્યુ હતું જેથી જશુબેન રાણાએ ચાર તોલા સોનું અને બુટ્ટી,અછોડો ધોવા માટે આપ્યો હતો. જે સોનાના ઘરેણાં લઈ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ અંગે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ છેતરીપિંડી અંગે બંને ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement
