Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

Share

અંકલેશ્વરમાં પણ કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. તે સાથે સાથે કોરોના દર્દીનું મોત નિપજતા અનેક સમસ્યાઓનો સામનો મૃતકનાં પરિવારજનોએ કરવો પડે છે જેથી અંકલેશ્વરનાં કોરોના પોઝીટિવ દર્દીઓનું મોત થતાં તેમનાં મૃતદેહને ગોલ્ડન બ્રિજ સુધી પહોંચાડવા અલાયદી એમ્બુલન્સ અને પી.પી.ઇ. કીટથી સજ્જ કાર્યકરોની તાલીમ પામેલ ટીમ તૈયાર કરવામાં આવે તેવી માંગણી અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગેસ સભ્યો અને અગ્રણી નગરપાલિકાનાં સભ્ય શરિફ કાનુગાએ કરેલ છે. તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં કોરોનાથી અવસાન પામેલ દર્દીઓનાં સગાં-સંબંધીઓને અંતિમક્રિયા કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગ્રેસનાં સભ્ય શરિફ કાનુગાએ અલગ એમ્બુલન્સ અને કાર્યકરોની ટીમની માંગણી કરેલ છે.

Advertisement

Share

Related posts

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

નવસારી-જિલ્લામાં યોગ સ્પર્ધામાં હેપ્પી મકવાણા પ્રથમ

ProudOfGujarat

ગોધરામા બાબા સાહેબ આંબેડકરની જન્મજંયતીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!