Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના સમયે અંકલેશ્વરના ને.હા 48 પર આવેલ નિલેશ ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના થતી અટકી હતી, પ્રાથમિક જાણકારી મુજબ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

હાલ સમગ્ર અકસ્માતની ઘટના અંગે સ્થાનિક પોલીસે નોંધ લઇ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, મહત્ત્વની બાબત છે કે અંકલેશ્વરમાં મુખ્ય માર્ગો અને ને.હા ઉપર ખાડાના કારણે અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ડાકોરમાં ફાગણસુદ પુનમ નિમિત્તે યોજાનાર લોકમેળા દરમિયાન શહેરના માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામની પ્રાથમિક શાળાનાં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!