Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સિનિયર સિટીઝનો તેમજ રહીશો માટે કોરોના વેકશીન મુકવાના રસીકરણ કેન્દ્ર શરૂ કરવા કરાઇ રજૂઆત..!!

Share

દેશમાં કોરોના મહામારીનાં હાહાકાર વચ્ચે વેકશીન આવતા કંઇક અંશે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ભરૂચ જિલ્લામાં પણ તંત્ર દ્વારા અત્યાર સુધી અનેક લોકોને વેકશીનનાં ડોઝ આપ્યા છે. કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેકશીન આપ્યા બાદ હવે સામાન્ય જનતાને વેકશીનનાં ડોઝ આપવાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં સેન્ટર શરૂ કરવા કોંગ્રેસ લોક સરકારનાં શરીફ કાનુગા તંત્રમાં રજૂઆત કરી છે.

તંત્રમાં કરાયેલ રજુઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર શહેરનાં 60 કે વધુ વર્ષનાં સિનિયર સીટીઝનો તેમજ નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહિશો માટે કોરોના વેક્સિન મુકવા માટે રસીકરણ કેન્દ્ર ( Vaccination Centre ) શરૂ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી રહે અને લોકો વેકશીન મુકાવી શકે આ બાબતે તેઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ વાળા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર બે માસના સમયગાળા માટે પ્રતિબંધ

ProudOfGujarat

પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા આમોદ પાલિકાના સફાઈ કામદારોની અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે લીધી મુલાકાત.

ProudOfGujarat

રાજપીપળા : કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!