Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-સુરવાડી બ્રિજ ઉપર રાત્રિના અંધકારમાં જીવના જોખમે બાળકો રમતા નજરે પડયા.

Share

ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3 થી 4 બાળકો બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર મસ્તી કરી રહ્યા હતા, સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે ભર અંધકારમાં જીવના જીખમે રમત રમી રહ્યા હતા ?

ગતરોજ રાત્રિના સમય દરમિયાન અંકલેશ્વર સુરવાડી બ્રિજ પર 3 થી 4 બાળકો પોતાની મસ્તીમાં જોવા મળ્યા હતા, અગાઉ થોડા દિવસ પહેલા જ આઠ મહિનાના બાળકનું અકસ્માતના પગલે મોત નીપજયું હતું. બાળકો પોતાની મસ્તીમાં હોય અને ઉપરથી સ્ટ્રીટ લાઇન ન હોવાને કારણે વિસ્તામાં અંધારપટ છવાયેલો રહે છે તેવામાં આવી રીતે નાના બાળકો પોતાના જીવના જોખમે મસ્તી કરતાં દેખાયા હતા. એકાદ બાળક અંધારામાં અથડાય જાય તો તેના માટે જવાબદાર કોણ..?

જેથી તંત્રએ વહેલી તકે બ્રિજનું કામ જલ્દીથી પૂરું કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવી જોઈએ જેથી અકસ્માતનો ભય ન સતાવે જેને પગલે તંત્ર આ મુદ્દાઓ ઉપર અત્યંત જરૂરી ધ્યાન આપે તે આવશ્યક બન્યું છે.

Advertisement

મુકેશ વસાવા , અંકલેશ્વર


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી માધુમતિના પુલ પર એક વાહન ખોટકાતા ટ્રાફિક જામને લઇને વાહનો અટવાયા.

ProudOfGujarat

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલની નિખાલસ રજૂઆતો…હું સામાન્ય કાર્યકર તરીકે લોકો વચ્ચે કામ કરી રહ્યો છું.

ProudOfGujarat

ભરૂચ:આમોદ થી દાંડા તરફ જતા બાઈક સવારનું રોડ પર પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!