Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

Share

અંકલેશ્વર સિટી અને જી.આઇ.ડી.સી ને જોડતા જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં થોડા થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી હતી. રસ્તાઓ પર માત્ર કપચી જ પાથરી હોવાના આક્ષેપો લાગવામાં આવ્યા હતા, હાલ વરસેલ ભારે વરસાદને પગલે જાહેર માર્ગો ધોવાઈ જતાં બિસ્માર બન્યા છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ રાજમાર્ગો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં તંત્ર દ્વારા લીપાપોથીની કામગીરી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં હાલ વરસેલ ભારે વરસાદને પગલે જાહેર માર્ગો ધોવાઈ જતાં બિસ્માર બન્યા છે. માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સફાળા જાગેલ તંત્રએ બિસ્માર માર્ગના પેચવર્ક કામગીરી હાથ ધરી છે ત્યારે માર્ગ પર લીપાપોથી જ થતાં વાહન ચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય મટિરિયલ વાપરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પરિવાર વડોદરા ગણેશ સ્થાપના કરવા ગયોને, ઘરમાં તસ્કરો ખેલ કરી ગયાં

ProudOfGujarat

અંકલેશ્વર : બોરભાઠા ગામના કિનારે પૂરના પાણીથી કિનારો ધસી પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!