Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શું સ્વચ્છતા અભિયાન છે…! : પીરામન નાકાથી લઈ ગુજરાત ગેસ કંપનીને જોડતાં મુખ્ય માર્ગ ઉપર ગંદગીનું સામ્રાજ્ય સર્જાયું.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના કેટલાક ગંદગી ભર્યા દ્રશ્યો સ્પષ્ટપણે સાબિત કરી રહ્યા છે કે અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે શોભના ગાંઠિયા સમાન હોય તેમ જણાઈ રહ્યું છે.

અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે પાછલા કેટલાક વર્ષોથી પોતાની છબી ખરાબ કરી રહી છે એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત ગુજરાતના મુખ્યમંત્રી સ્વચ્છ ગુજરાતની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ રહી છે. અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

એક તરફ લોકો વિશ્વની મહામારી અને ગંભીર બીમારી કોરોના વાયરસથી પોકારી ઉઠયા છે ત્યારે હવે અંકલેશ્વર શહેરમાં વિવિધ જગ્યાઓના મુખ્ય માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનું સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતનું સપનું ક્યારે સાકાર થાય છે તે જોવાનું રહ્યું છે.

મુકેશ વસાવા, અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપથનું નામ બદલવા પર રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ નેતાએ કર્યું સમર્થન.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

આણંદ-અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,ભરૂચના ૫ શખ્સોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!