Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ રાજનગરી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે એક તસ્કર સામેના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની રાજનગરી સોસાયટીમાં રહેતા તેજસ મોદી મકાન બંધ કરી બહારગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી સામાન વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા,આ ચોરીની જાણ સામેના મકાન માલીકને થતા તેઓએ શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ કરતા સામેના મકાનની બહાર લગાવેલ સીસીટીવી ચેક કરતા એક તસ્કર નજરે પડ્યો હતો ,જો કે તેજસ મોદી બહારગામથી આવ્યા બાદ જ માલમત્તાની ચોરી અંગે માલુમ પડશે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- વિદેશી દારૂની બોટલ સાથે શહેર પોલીસે નવાદીવા ગામ ખાતેથી એક યુવાનને ઝડપી પાડયો…

ProudOfGujarat

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!