Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

Share

વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર સામે ખેડૂતો પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે મોરચો માંડ્યો છે. અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો પડતર માંગણીઓને લઇને દિલ્હી કૂચ કરી છે, જેમાં વીજળી, પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દાઓને તેઓ રજૂ કરશે

છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પોતાની માંગણીઓને લઈ કોઈને કોઈ રીતે આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ભારતના ખેડૂતોની આજે નવી દિલ્હી ખાતે કિસાન ગર્જના રેલી યોજાઈ છે. ત્યારે આ રેલીમાં ભાગ લેવા અરવલ્લી જિલ્લાના 250 કરતા પણ વધુ ખેડૂત, સંગઠનના હોદ્દેદારો સહિત 250 કરતા વધુની સંખ્યામાં દિલ્હી પહોંચ્યા હતા. આ અંગે અરવલ્લી જિલ્લા કિસાન સંઘના મંત્રીએ જણાવ્યુ હતું કે, હાલ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી અને ખેતી માટે વપરાતા જરૂરી પદાર્થો ખાતર, બિયારણ, રાસાયણિક દવાઓના દર પણ વધારે હતા અને તેમાં જીએસટી લાદવામાં આવ્યો હતો. જેથી ખેતી પરવડે એમ નથી. ત્યારે આ ભાવ વધારો ઓછો કરવા અને ખેડૂતોને લગતી માંગણીઓ બાબતે આજે નવી દિલ્હીમાં ખેડૂતો સરકારને રજુઆત કરશે.

Advertisement

Share

Related posts

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર “સરસ્વતી સન્માન સમારોહ 2023-24” યોજાયો.

ProudOfGujarat

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

ProudOfGujarat

મહેસાણા-ઊંઝાના કહોડા સર્કલ પર ગતરોજ ટાયર સળગાવવાના કેસમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ 25 માણસોના ટોળા સામે ઉંઝા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!