Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

Share

વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર સામે ખેડૂતો પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે મોરચો માંડ્યો છે. અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો પડતર માંગણીઓને લઇને દિલ્હી કૂચ કરી છે, જેમાં વીજળી, પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દાઓને તેઓ રજૂ કરશે

છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પોતાની માંગણીઓને લઈ કોઈને કોઈ રીતે આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ભારતના ખેડૂતોની આજે નવી દિલ્હી ખાતે કિસાન ગર્જના રેલી યોજાઈ છે. ત્યારે આ રેલીમાં ભાગ લેવા અરવલ્લી જિલ્લાના 250 કરતા પણ વધુ ખેડૂત, સંગઠનના હોદ્દેદારો સહિત 250 કરતા વધુની સંખ્યામાં દિલ્હી પહોંચ્યા હતા. આ અંગે અરવલ્લી જિલ્લા કિસાન સંઘના મંત્રીએ જણાવ્યુ હતું કે, હાલ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી અને ખેતી માટે વપરાતા જરૂરી પદાર્થો ખાતર, બિયારણ, રાસાયણિક દવાઓના દર પણ વધારે હતા અને તેમાં જીએસટી લાદવામાં આવ્યો હતો. જેથી ખેતી પરવડે એમ નથી. ત્યારે આ ભાવ વધારો ઓછો કરવા અને ખેડૂતોને લગતી માંગણીઓ બાબતે આજે નવી દિલ્હીમાં ખેડૂતો સરકારને રજુઆત કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચના માચ ગામે શખ્સના વાડામાંથી ગાંજાના ૬ છોડ મળ્યાં, ૧૧ લાખનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

ભરૂચનાં નવગ્રહ મંદિર નર્મદા નદીનાં ઓવારે માં ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા ક્રિકેટ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!