Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ કાશ્મીર ના કથુવા અને યુપી ના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરા માં બાળા સાથે થયેલ દુષ્કર્મ ના વિરોધ્ધ માં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી ગુનેગારોને ફાંસી ની સજા ની માંગણી કરવામાં આવી હતી

Share

ભરૂચ જિલ્લા  યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા જમ્મુ કાશ્મીર ના કથુવા માં માસુમ બાળા પર થયેલ દુષ્કર્મ અને યુપીના ઉન્નાવ તેમજ સુરત ના પાંડેસરા માં બાળા પર થયેલ બળાત્કાર ની ઘટના ના વિરોધ માં અંકલેશ્વર જીઆઇડીસી માં પ્રતિન ચોકડી થી વાલીયા ચોકડી સુધી કેન્ડલ માર્ચ  સાથે મૌન રેલી નું યોજાય હતી  આ રેલી દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો  આ મૌન રેલીમાં કોંગ્રેસ ના કાલુ ચૌહાણ ,મગન પટેલ ,કામદાર આગેવાન ડી સી સોલંકી બાલુ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને આ દુષ્કર્મ આચરનારા ગુનેગારોને ફાંસી ની સજાની  માંગણી કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

વડોદરા સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં આસિમની સારવારમાં ડૉક્ટરોએ મેળવી સફળતા.

ProudOfGujarat

ભરૂચમાં શખ્સ ૧૦૦ રૂપિયાની દારૂની બોટલ સાથે ઝડપાયો, રોકડા ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

અંકલેશ્વર : હરિ મંગલ સોસાયટીમાં ગટરનું પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકોમાં આક્રોશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!