Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશ ભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા.તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement


Share

Related posts

ગોધરા એસ.ઓ.જી દ્વારા કાલોલ તાલુકાના મલાવ ગામે ટેકરી ફળીયામાં રહેતા ઈસમના મકાના માથી ૫,૧૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૫૧,૧૦૦/- ગાંજાનો જથ્થો ઝડપી આરોપીની અટક કરી….

ProudOfGujarat

વાલીયા તાલુકાના તુણા ગામે ઘરના ગાળામાં બાંધેલી વાછરડીનું દીપડાએ શિકાર કરતાં ગ્રામજનો ભયભીત બન્યા છે.

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન અડફેટે પાલેજના યુવકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!