Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશ ભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા.તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement


Share

Related posts

ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સંસ્કૃતમાં પલાશ અને ગુજરાતીમાં ખાખરા તરીકે ઓળખાતો કેસૂડો ધૂળેટીનું પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે,અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસૂડાના ફુલો વીના કેસૂડાના રંગોત્સવની ઉજવણી અધૂરી જ ગણાય…..

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે પાંચ મકાનો આગની લપેટમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!