Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશ ભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા.તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં બે નવા પોઝિટીવ કેસ સાથે કેસોની સંખ્યા 11 પર પહોંચી હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9 થઈ.

ProudOfGujarat

વડોદરા : નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અદાલત.

ProudOfGujarat

ભરૂચ : વિવિધ આદિવાસી સંગઠનોએ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાના નેજા હેઠળ રાષ્ટ્રપતિ સહિત રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!