Proud of Gujarat
GujaratFeaturedINDIA

બંધારણની જોગવાઈના અસરકારક અમલ માટે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.

Share

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા તેઓના બંધારણીય અધિકારો આપવા માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આદિવાસી વસતી ધરાવતા વિસ્તારોમાં શિડ્યુલ-5 અમલ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ આદિવાસી વિસ્તારોમાં બંધારણીય અધિકારો આપવાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગ્રામસભાની કામગીરી અસરકારક બને તેમજ બંધારણના શિડ્યુલ-5 મુજબની જોગવાઈઓમાં ગ્રામ્યસ્તરે રાજ્યની શાસન વ્યવસ્થા લાગુ પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીની પણ પુનઃરચના કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી રહ્યું છે. તેમજ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં આવેલ જમીનોને પણ નોટિફાઇડ વિસ્તાર જાહેર કરી આદિવાસીઓ પાસેથી જમીન હડપી લેવામાં આવે છે, તેવી જમીનો પણ આદિવાસીઓને પરત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.


Share

Related posts

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા

ProudOfGujarat

M. S. યુનિવર્સિટીની પાદરાની M. K. અમીન કોલેજમાં સાયન્સ બ્લોકના નવી બિલ્ડીંગના નિમાર્ણનો વિવાદ રમત ગમતનું મેદાન નહિ રહેતા પૂર્વ વિધાર્થીઓ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન આર્શીવાદ યાત્રા કાર્યક્રમમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહભાગી બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!