Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના અગ્રવાલ સમાજના સભ્યોની આસ્થાના કેન્દ્ર સમા અગ્રસેન ભગવાન સદભાવના અને અગ્ર ચેતનાના સંદેશ સાથે નીકળેલ રથયાત્રાનું અંકલેશ્વર ખાતે સ્થાનિક અગ્રવાલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર ખાતે 50 જેટલી કાર સાથે પુણે થી નીકળીને આગરા જઈ રહેલા સદભાવના રથનું સ્થાનિક અગ્રણીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપ-પ્રમુખ ગણેશ અગ્રવાલ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. સદભાવનાના સંદેશને પ્રસરાવવા માટે શુભેચ્છાઓ પાઠવી મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પૂણેથી નિકળેલ આ રથયાત્રા અગ્રવાલ સમાજના મંદિરે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

કચ્છ ના અંજાર શહેર માં રાજ્ય ની પ્રથમ વિશાળ નંદી શાળા

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ગુજરાતમાં ૫ત્રકારો ઉપર થતા હુમલા તેમજ ગેરવર્તન કરનારાઓ સામે ફોજદારી રાહે ફરીયાદ નોંધવા અને વડોદરા જીલ્લાના વાઘોડીયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજ૫ ૫ક્ષમાંથી બરતરફ કરવાની માગ ને લઇને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ ના પત્રકારો એ મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!