Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજની જી.એફ.એલ. કંપનીમાં કેમિકલ લીકેજથી 5 જેટલા કામદારોને થઈ અસર.

Share

દહેજમાં આવેલી જી.એફ.એલ. કંપનીમાં બુધવારની રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાઇપ લાઇનમાંથી કેમિકલ લીકેજ થયુ હતું. જેના પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા 5 જેટલા કામદારોને તેની અસર પોહચતા દોડધામ મચી ગઇ હતી. કેમિકલ લીકેજથી અસર પામેલા પાંચેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. સમગ્ર ઘટના અંગે કંપનીના વી.પી. સુનિલ ભટ્ટે જણાવ્યું હતુ કે, લાઇનમાંથી લીકેજના પગલે કેમિકલ વછુંટતા 4થી વધુ કામદારોને અસર પોહચી હતી. જેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતાં હાલ તેમની હાલત સામાન્ય છે. કોઈ ગંભીર કે મોટી ઘટના બની નથી. જોકે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચી જવા સાથે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઇ હતી. ક્યાં કારણોસર પાઇપ લાઈનમાંથી કેમિકલ લીકેજ થયુ તે અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબીએ વધું તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા કેટલાંક સમયથી વધી રહેલા અકસ્માતોના બનાવો હાલ તો ચિંતાજનક સ્થિતિનું સર્જન કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અંતર્ગત મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!