Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

Share

વાગરા તલુકાના રહિયાદ ગામે રહેતા જમીન વિહોણા ખેડુતો ધ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આજથી નવ વર્ષ પૂર્વે ઉધોગોમાટે તેઓની જમીન સંપાદન કરવામાં આવી હતી. છતા આજ દિન સુધી ખેડુત પરિવારજના લોકોને નોકરી આપવામાં આવી નથી. આ ઉપરાંત જી.એન.એફ.સી ના રહીયાદ પ્લાનટમાં ફરજ બજવતા લેન્ડ લુર્ઝરસ કર્મચારીઓ અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જી.એન.એફ.સી કંપની લેન્ડ લુર્ઝર્સ ના વારસાદારોની ભરતી ન કરતી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવેતો તારીખ ૯ એપ્રિલથી રસ્તા રોકો આંદોલનો ની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ પોલીસ અને જિલ્લા સરકારી વકીલ દ્વારા સાયબર ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશન પર લીગલ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર આવેલ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!