Proud of Gujarat
FeaturedGujarat

વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે સંપાદિત જમીનના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું રણસીંગુ ફુક્યું.જાણો કેમ?

Share

દિનેશભાઇ અડવાણી

વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે ભરૂચ જિલ્લાના ઘણાં ખેડૂતોએ પોતાની ફળદ્રુપ જમીનો આપી છે.ઉપજાવ જમીનના યોગ્ય નાણાં એટલેકે વળતર આપવામાં આવશે તેવી હૈયા ધારણાના પગલે ખેડૂતોએ જમીન આપી હતી.જેની વિગત જોતા તારીખ ૨૭-૦૬-૨૦૧૭ ના રોજ જમીન સંપાદન કરવામાં આવી હતી.જયારે તારીખ ૨૮-૦૮-૨૦૧૭ ના રોજ વળતર ચુકવામાં આવ્યું હતું પરંતુ આ વળતર ધારાધોરણ કરતા ખુબ ઓછું હોય.ખેડૂતોએ વાંધા સહીત જમીનનું વળતર લીધું હતું અને તેમનું વળતર ઓછું હોય તે અંગે કેસ મુક્યો હતો.જેનો ચુકાદો આવી ગયો હોવા છતાં અને નવેસરથી નવા ભાવ મુજબ ખેડૂતોને નાણાં ચૂકવવાના હોવા છતાં આ તમામ બાબતોએ યોગ્ય રીતે ખેડૂતોને સાંભળવામાં આવ્યા નથી.તેથી અનેક વાર આવેદન પત્ર પાઠવાયા અને રજૂઆતો કરાય તેમ છતાં યોગ્ય અને અસરકારક પરિણામ ન આવતા આજરોજ કિસાનો કલેક્ટર કચેરી ખાતે પોહ્ચ્યા હતા અને કિસાન એકતાના નારા સાથે થામ ,દેરોલ ,દયાદરા ,પીપલીયા,કોરચન,તેલોદ .સૂથોદ્રા વગેરે ગામોના ખેડૂતોએ જમીનોના યોગ્ય વળતર નહિ તો વોટ નહિ તેવા નારા સાથે લોકસભા ચૂંટણીના બહિષ્કાર અંગેની જાહેરાત કરી હતી.

Advertisement


Share

Related posts

સુરતમાં વડતાલ સ્વામીનારાયણના સાધુએ ભગવો લજવ્યોઃ પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બે વખત દુષ્કર્મ કર્યું

ProudOfGujarat

ચાર પરગણા વણકર સમાજ હિતરક્ષક સમિતી દ્વારા સમુહલગ્ન સભારંભ કાલોલ ખાતે યોજાયો

ProudOfGujarat

પાટણ જિલ્લાના રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!