ભરૂચ જિલ્લાના મકતમપુર વિસ્તારમાં ઈન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. મકતમપુરના કરણ માચી દ્વારા અજગર દેખાવાની જાણ કરવામાં આવતા તરત જ રેસ્ક્યૂ માટે કોલ કરવામાં આવ્યો હતો.
કોલ મળતા જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશભાઈ મિસ્ત્રી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગના આરએફઓને કરવામાં આવી હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ટીમ દ્વારા અજગરને ખૂબ જ સતર્કતા અને સલામત રીતે પકડવામાં આવ્યો હતો.
Advertisement
રેસ્ક્યૂ કામગીરી કોઈ નુકસાન વિના સફળતાપૂર્વક પૂર્ણ કરી બચાવમાં લેવાયેલા અજગરને સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સમયસર કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં રાહતનો શ્વાસ લીધો હતો.
